મોરબી ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા નીચેના વિસ્તારોમાં તા.11 ને બુધવારના રોજ મેઇન્ટનન્સની કામગીરીને લઈ વિજપુરવઠો બંધ રાખવામાં આવશે.
જેમાં હરિપર જેજીવાય ફીડરમાં સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી વીજકાપ રહેશે. આ મુજબના ફીડરમાં આવતા ગામો જુના સાદુળકા, નવા સાદુળકા, લક્ષ્મીનગર, ભરત નગર તેમજ તમામ રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગીક (એચ.ટી), વીજ જોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે.




