હળવદ તાલુકાના માલણીયાદ ગામની સીમમાં દયારામભાઈ નાનજીભાઈ પરમારની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની રક્ષાબેન અરવિંદભાઈ રાઠવા (ઉ.વ.21) નામની યુવતીએ ગત તા.5 ના રોજ ઝેરી દવા પી લેતા પ્રથમ મોરબી બાદ વડોદરા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તા.7 ના રોજ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.




