ટંકારા તાલુકાના નાના ખીજડિયા ગામે રહેતા અનિશાબેન રહીમભાઈ ઉઠમણા (ઉ.વ.30) નામના પરિણીતાને ગત તા.9ના રોજ બપોરના સમયે અચાનક દુખાવો ઉપડયા બાદ સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન ગઈકાલે હાર્ટ એટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.




