મોરબીના શીવનગર પંચાસરમા કડીયાકામ કરતા હતા ત્યારે ઈલેક્ટ્રીક શોક લાગતા મહિલાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, હેતાબેન નાજુભાઇ સંઘાડા (ઉ.વ.35) રહે-શીવનગર પંચાસર મોરબી તા.જી.મોરબી વાળી પોતે શીવનગર પંચાસર ખાતે કડીયાકામ કરતા હતા તે દરમિયાન કોઇ કારણસર ઇલેકટ્રીક શોક લાગતાં મહિલાનું મોત નિપજ્યું હતું.
આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

