મોરબી શહેરના વાલ્મીકિવાસ શેરી નં-02 માં રહેતી એક વૃદ્ધ મહિલાએ કોઈ કારણસર એસિડ પી લેતા તેમનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, મોરબી શહેરની જૂની જેલ રોડ પર રહેતી મોતીબેન ધમાભાઈ મકવાણા (ઉં.70) એ પોતાના નિવાસ સ્થાને એસિડ પી લીધું હતું। આ ઘટનામાં તેમને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તપાસ કરતા તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે લઈ આગળની તપાસ શરૂ કરી છે.




