મોરબી જીલ્લામાં વ્યાજખોરો બેફામ બન્યા છે. જાણે તેને ખૂલ્લી છુટ મળી ગઈ હોય તેમ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી લોકોને હેરાન કરતા સહેજે પણ વિચાર નથી કરતા. ત્યારે આવા વ્યાજખોરો પર ક્યારે રોક લાગશે તે હાલ તો મોટો પ્રશ્ન છે.
મોરબીના મૂળ ધરમપુર ગામના વતની અને હાલ મોરબીમાં રહેતા આધેડે હોસ્પિટલના કામથી આરોપીઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. જેનું મુદલ સહિત વ્યાજ ચૂકવી દીધા હોવા છતાં આરોપીઓએ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ગાળો આપી ધમકીઓ આપી હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.




