મોરબી: ભારતના (સંવિધાન) બંધારણના ઘડવૈયા વિશ્વ રત્ન મહામાનવ ડો.બાબા સાહેબ આંબેડકરજીની 134મી જન્મજયંતિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી શહેરમાં ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે.
આ શોભાયાત્રા મોરબી શહેરના રેલવે સ્ટેશનથી સવારે ૦૯:૩૦ કલાકે શરૂ થઈ મુખ્ય પોસ્ટથી નગર દરવાજા ચોક થઈ મહાનગરપાલિકા ખાતે આવેલ ડો. બાબાસાહેબ ના સ્ટેચ્યુને ફુલહાર કરી બપોરના ૦૨:૩૦ કલાકે આ રેલીની પુર્ણાહિતી કરવામાં આવશે .
મોરબીના ઇતિહાસમાં પહેલીવાર આ શોભાયાત્રામાં ડો.બાબા સાહેબ આંબેડકરજી એ લિખિત બંધારણને હાથીની અંબાળી ઉપર દેશી ઢોલ ના સથવારે મોરબી શહેરના રેલીના રૂટ પર નીકળશે.ત્યારે આ ભવ્યાથી ભવ્ય શોભાયાત્રામાં મોરબી શહેરની જાહેર જનતાને જોડાવા સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ, મોરબી દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે.




