મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં પાવડીયારી સનવીસ સીરામીકના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ જતા પરિણીતાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, સીનીબેન અજય નાયક (ઉ.વ.૨૨) રહે, રંગપર ગામની સીમ પાવડીયારી સનવીસ સીરામીકના લેબર કવાર્ટરમાં કોઇ કારણસર જાતે ગળેફાંસો ખાઇ લેતા પરણીતાનુ મોત નિપજ્યું હતું.
આ સમગ્ર બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી હતી.




