ચોટીલાના એક 53 વર્ષના રહેવાસીને કમરના L4-L5 મણકાની વચ્ચેની ગાદી ખસી જતા, કમરનો સખત દુઃખાવો, જમણી બાજુના પગનો દુઃખાવો, જમણા પગમાં ખાલી ચડી જવી તેમજ જમણા પગના પંજાની, નબળાઈ હોવાથી દર્દીને ચાલવામાં તકલીફ પણ પડતી હતી. જેથી દર્દીનું ઓપરેશન કરવું ફરજીયાત હતું પરંતુ છાતીના એક્ષરેમાં જાણવા મળ્યું કે, દર્દીનું એક બાજુનું ફેફસું કામ ન કરતુ હોવાથી સંપૂર્ણ બેભાન કરવા અને સી સી સુંઘાડવી શક્ય ન હતી. આથી મોરબી સ્થિત આયુષ હોસ્પિટલના ન્યૂરોસર્જન ડૉ. પ્રતિક પટેલની સુજબુજથી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો અને દર્દીની જાગતિ અવસ્થામાં જ માત્ર ઓપરેશન કરવાનો ભાગ ખોટો કરી દૂરબીન વડે ખસેલી ગાદી કાઢી નસ પરનું દબાણ દુર કરવામાં આવ્યું, જેથી તરત જ દર્દીને દુ:ખાવામાં રાહત મળી અને પગની નબળાઈ પણ દુર થઇ. હવે દર્દી દર્દી ફરીથી ચાલી શકે છે, હરીફરી શકે છે.




