કાશ્મીરના પહલગામમાં નિર્દોષ હિંદુઓ પર આતંકીઓએ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા જેનો સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને આતંકીઓને સજા મળે તેવી માંગ પણ ઉઠી છે.
મોરબીમાં પણ ઠેર ઠેર આતંકવાદીઓનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે રાષ્ટ્રવાદી અને સેવાભાવી યુવાન અજય લોરિયા દ્વારા મોરબીમાં નવા બસ સ્ટેન્ડ તેમજ નગર દરવાજાના ચોકમાં નાપાક પાકિસ્તાનના રાષ્ટ્રીય ફ્લેગનું પૅઈંન્ટીગ બનાવ્યું અને હિન્દુસ્તાની લોકો તેના પર ચાલીને તેમજ વાહનો ચલાવીને રાષ્ટ્રીય ધ્વજને કચડી સખત રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.




