વાંકાનેર તાલુકાના ઢુંવા નજીક આવેલા સમ્રાટ સેનેટરીવેર કારખાનમાં કામ ક૨તા મૂળ ઉત્તરપ્રદેશના વતની પ્રહલાદભાઈ પરશુરામભાઈ કુશવાહા (ઉ.વ.46) નામના શ્રમિક લેબર કોલોનીની છત પરથી નીચે પટકાતા શરીરના આંતરિક ભાગોમાં ગંભીર ઈજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ ક૨ી છે.




