રાજ્યમાં હજુ ચોમાસુ બેઠું નથી અને ધમધોકાર તાપમાં મોરબીના અનેક વિસ્તારમાં અત્યારે પાણીની પળોજણ ચાલી રહી છે. તેવામાં મચ્છું ડેમમાં પંપના વાલનું કામ શરૂ કરવાનું હોવાથી આજે મંગળવારથી ત્રણ દિવસ પાણી અનિયમિત રહેશે. ત્યારે આકરા તાપમાં પણ મોરબીવાસીઓએ પાણીની કટોતી સહન કરવી પડે તેવી શક્યતાઓ છે.




