મોરબી તાલુકાના તળાવિયા શનાળા નજીક પુલનું કામ ચાલી રહ્યું હતું ત્યારે ટ્રક ત્યાંથી પસાર થતા ચાલક હસમુખભાઈ જયંતીભાઈ સોલંકી (ઉ.વ.37) ના ટ્રકના પાછળના ભાગે વીજ વાયર અડી જતા વીજ શોક લાગતા હસમુખભાઈનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ ક૨ી તપાસ શરૂ કરી છે.

