હળવદના સરા રોડ પર રઘુનંદન સોસાયટી પાછળ વાડી ધરાવતા શનિભાઈ ભગવાનજીભાઈ પરમાર (ઉ.વ.25) નામનો યુવાન ગઈકાલે પોતાની વાડીએ હતો ત્યારે વાડીની ઓરડીમાં ઇલેક્ટ્રિક બોર્ડમાંથી વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.




