મોરબીના વૃંદાવન પાર્ટી પ્લોટમાં આગામી તા.12 થી વૃંદાવન ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વૃંદાવન ગ્રુપ દ્વારા નવરાત્રીમાં માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં વૃંદાવન પાર્ટી પ્લોટ, અજંતા કલોકની સામે મોરબી-રાજકોટ હાઈવે પર પદયાત્રીઓ માટે રહેવા-જમવાથી માંડીને તમામ પ્રકારની દવાઓ અને ડોકટરી સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમજ રસ્તામાં પડતી મુશ્કેલીઓ માટે વૃંદાવન ગ્રુપ દ્વારા ભરતભાઇ 93289 32714 અને અરવિંદભાઇ 98256 21321 ના હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.




