ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા 30 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
તો ટંકારા પોલીસ આ બનાવ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.
મૂળ જામનગરના વતની અને હાલ ટંકારા લક્ષ્મીનારાયણ સોસાયટીના રહેવાસી વિજયભાઈ સવજીભાઈ પાટડીયા (ઉ.વ.30) નામના યુવાને ગત તા.3 ના રોજ સાંજના સુમારે પોતાના રૂમના બંને દરવાજા અંદરથી બંધ કરી પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું.
ટંકારા પોલીસ આપઘાતના બનાવની નોંધ કરી મૃત્યુ અંગેનું કારણ જાણવા વધુ તપાસ ચલાવી રહી છે.




